બાબાસાહેબ આંબેડકર દલિતો અને મહિલાઓના અધિકારો માટે લડનારા એક વિદ્વાન, સમાજ સુધારક અને સમાનતાના હિમાયતી હતા. તેઓ ભારતીય ઇતિહાસના મહાન પત્રકારોમાંના એક પણ હતા. સ્થાપિત વર્ણવ્યવસ્થા પર સવાલ ઉઠાવવાનો તેમનો આગ્રહ અને ન્યાયનો અવિરત પ્રયાસ એ એવા મૂલ્યો છે જેને હવે કદાચ પહેલા કરતાં વધુ સંવર્ધનની જરૂર છે. અહીં પ્રસ્તુત ડો. આંબેડકર અને તેમના લાંબા વારસા પરનું પારીનું કવરેજ આજે પણ લોકોને પ્રેરણા આપે છે